-->

રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022 – ધોરણ 9 અને 10 પાસ માટે નોકરીની સુવર્ણ તક

 રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર અને મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ આયોજિત રોજગાર ભરતી મેળો તારીખ 20/09/2022 ના રોજ સવારે 10:00 કલાકે અસરવા બહુમાળી, ભવન, શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાશે. અમદાવાદમાં નોકરીની શોધ કરી રહેલા બેરોજગાર યુવાનો માટે આ નોકરીની સારી તક છે. આ ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ નીચે આપેલ એડ્રેસ પર રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે.


રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ કોઈપણ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ITI બધા ટેક્નિકલ ટ્રેડ અને ડિપ્લોમા ની શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. અમદાવાદ જિલ્લાની અલગ અલગ સેકટરની અગ્રગણ્ય કંપનીઓ અને એમ.એન.સી કંપનીઓ ઉપસ્થિત રહીને આ ભરતી મેળામાં ઉપસ્થિત રહીને જોબ ઓફર કરશે. રોજગાર ઇચ્છુક ઉમેદવારો માટે રોજગારી મેળવવાની ઉત્તમ તકનો લાભ લેવા માટે રોજગાર ભરતી મેળામાં રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે.

કચેરીનું નામમદદનીશ રોજગારની કચેરી,અમદાવાદ
પોસ્ટનું નામવિવિધ ટેક્નિકલ પોસ્ટ
કુલ જગ્યાઓ
નોકરીનું સ્થળઅમદાવાદ
પસંદગી પક્રિયાઇન્ટરવ્યૂ દ્વારા
ભરતીમેળા ની તારીખ20 સપ્ટેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટanubandham.gujarat.gov.in

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

રોજગાર વિનિમય ની કચેરી, અમદાવાદ દ્વારા બેરોજગાર યુવાનો માટે વિવિધ જગ્યાઓની ભરતી માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના સવારે 10 કલાકે અસરવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક ડી, ગિરિધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાશે.

રોજગાર ભરતી મેળો અમદાવાદ શૈક્ષણિક લાયકાત

ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ કોઈપણ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ITI બધા ટેક્નિકલ ટ્રેડ અને ડિપ્લોમા ની શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો અરજી પક્રિયા

આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે.નીચે આપેલ સ્થળ અને સમય પર ઉમેદવારોએ પોતાના અસલી ડોક્યુમેન્ટ તથા પ્રમાણિત ડોક્યુમેન્ટ ની નકલ સાથે હાજર થવાનું રહેશે.

સ્થળ:અસરવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક ડી, ગિરિધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ

સમય: તારીખ 20 સપ્ટેમ્બર 2022, સવારે 10:00 કલાકે

રોજગાર ભરતી મેળો અમદાવાદ પસંદગી પક્રિયા

રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારો ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

પગાર ધોરણ

ઉમેદવાર ની લાયકાત અને કંપની ના નિયમો મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

ઓફિશિયલ જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો

રોજગાર ભરતી મેળો અમદાવાદ FAQ

રોજગાર ભરતી મેળો અમદાવાદ ક્યારે યોજાશે?

અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના રોજ યોજાશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો કઈ જગ્યાએ યોજાશે?

અમદાવાદ રોજગાર ભરતી મેળો બહુમાળી ભવન, અસરવા ખાતે યોજાશે.

ગુજરાત તાલીમ રોજગાર ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

ગુજરાત તાલીમ રોજગાર ની ઓફિશિયલ વેબસાઈટ anubandham.gujarat.gov.in છે.